Republic News India Gujarati
હેલ્થ એન્ડ બ્યૂટી

અંતરરાષ્ટ્રીય આયુર્વેદિક આરોગ્ય સેવા – વડોદરામાં 13 જુલાઈએ યોજાશે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર કેમ્પ


પેટના રોગોથી પીડિત દર્દીઓ માટે નિષ્ણાતોની ટીમ આપશે માર્ગદર્શન અને દવાઓ

વડોદરા/નવી દિલ્હી: પેટના ગંભીર અને લાંબા સમયથી ચાલી રહેલા રોગોથી પીડિત દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સેવા તરીકે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ 13 જુલાઈ 2025ના રોજ વડોદરામાં યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પ Satva Ayurveda Hospital, A-1, વાગેશ્વરી સોસાયટી, ભારત પેટ્રોલ પંપ અને બાપોદ ગાર્ડન નજીક, વાઘોડિયા-અજવા રિંગ રોડ, વડોદરા ખાતે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે.

કેનાડાવાસી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ આયુર્વેદાચાર્ય ડૉ. હરિષકુમાર વર્મા, અધ્યક્ષ – કેનેડિયન કોલેજ ઑફ આયુર્વેદા એન્ડ યોગ, આ કેમ્પ દરમિયાન Zoom મારફતે વિશેષ પરામર્શ આપશે. તેમના માર્ગદર્શન હેઠળ પ્રો. ડૉ. નિશાંત શુક્લા, પ્રો. ડૉ. ઓમ પ્રકાશ દવે તથા ડૉ. રાકેશ પ્રજાપતિ સહિત નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દર્દીઓનું નિદાન અને સારવાર કરશે.

ડૉ. વર્માએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં અલ્સરેટિવ કોલાઇટિસ, ફૅટી લિવર, લિવર सिरોસિસ, ગૅસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર, સિલિએક રોગ, ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ (IBS), જૂની કબજિયાત જેવી પાચન સંબંધી જટિલ બીમારીઓનું આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.

કેમ્પમાં હાજરી આપનારા દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવશે, તેમજ વ્યક્તિગત આહાર યોજના, દૈનિક રૂટીન અને વ્યાયામ અંગે સલાહ પણ આપવામાં આવશે જેથી તેઓ લાંબા ગાળે લાભ લઈ શકે.
ડૉ. વર્માએ સ્પષ્ટ કર્યું કે કેમ્પમાં ભાગ લેવા માટે પૂર્વ નોંધણી અનિવાર્ય છે. રસ ધરાવતા દર્દીઓ હેલ્પલાઇન નંબર +91 98982 44155 પર સંપર્ક કરીને પોતાનું નામ નોંધાવી શકે છે.

આ કેમ્પ પાચન રોગોથી પીડિત લોકો માટે એક કુદરતી, વૈજ્ઞાનિક અને સલામત આયુર્વેદિક ઉપચાર પૂરો પાડવા દિશામાં એક પ્રશંસનીય પહેલ છે, જેના દ્વારા દર્દીઓને દૂષ્પ્રભાવ વિના આરોગ્યલાભ પ્રાપ્ત થઈ શકશે.


Related posts

આ શિયાળામાં વધુ સારી રીતે શ્વાસ લેવા, લેવું પડશે સ્વસ્થ શ્વાસનું સંકલ્પ: વર્લ્ડ ન્યૂમોનિયા ડે પર ડૉ. દર્શન નિમાવતનું અગત્યનું અવલોકન

Rupesh Dharmik

એએસજી આઈ હોસ્પિટલની દિવાળી પહેલ: 15વર્ષથી ઓછી વયના બાળકો માટે ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓ માટે મફત તપાસ અને સર્જરી!

Rupesh Dharmik

પેટના દર્દીઓ માટે વડોદરામાં નિઃશુલ્ક મેગા આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ, 15 જૂનના રોજ આયોજિત થશે

Rupesh Dharmik

બેલ ફળ: આયુર્વેદની ભેટ, અલ્સરેટિવ કોલાઈટિસ માટે કુદરતી રાહત

Rupesh Dharmik

આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે દીનદયાલ પોર્ટના સહયોગથી એક મોટું અભિયાન “ટીબી મુક્ત ભુજ (કચ્છ)” શરૂ કર્યું

Rupesh Dharmik

શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલની ૧૦૦૦ બાળકોની નિ: શબ્દ થી શબ્દની યાત્રા

Rupesh Dharmik

Leave a Comment