Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

જિલ્લા પંચાયત દ્વારા ‘રાષ્ટ્રીય કૃમિનાશક અભિયાન’નો શુભારંભ


આંગણવાડી અને સ્કૂલોમાં ૧ વર્ષ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને સામુહિક રીતે કૃમિનાશક ગોળીઓનું સેવન કરાવાશે

સુરત: રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં બે વખત ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સુરત જિલ્લામાં તા.૨૨ ફેબ્રુ.થી ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિન’ની ઉજવણીનો શુભારંભ કરાયો હતો. જેમાં તા.૨૨ ફેબ્રુ. થી તા.૨ માર્ચ,૨૦૨૧ સુધી સુરત જિલ્લાનાં આરોગ્ય કર્મચારીઓ, આશાબહેનો તથા આંગણવાડી કાર્યકર અને શિક્ષકો દ્વારા ઘરે-ઘરે જઈને તેમજ આંગણવાડી અને સ્કૂલોમાં ૧ વર્ષ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને સામુહિક રીતે કૃમિનાશક ગોળીઓનું સેવન કરાવાશે.

Launch of 'National Deworming Campaign' by District Panchayat

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.હસમુખ ચૌધરી તથા ઇ.જિલ્લા આર.સી.એચ અધિકારીશ્રી ડૉ.એમ.એમ.લાખાણી દ્વારા સુરત જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે આલ્બેન્ડોઝલ ગોળી એકદમ સુરક્ષિત છે, જેની કોઈપણ જાતની આડ અસર નથી. આ સાથે દરેક તાલુકા હેલ્થ ઓફિસરોના નિરિક્ષણ હેઠળ દરેક તાલુકાઓમાં ‘કૃમિમુક્ત ભારત, સ્વસ્થ ભારત’ના ધ્યેય સાથે કૃમિનાશક દિન ઉજવણીનો પ્રારંભ થયો છે.


Related posts

અનિયમિત પિરિયડ્સ અને ચહેરા પર અનિચ્છનીય વાળ: આયુર્વેદથી મેળવો કુદરતી ઉપચાર

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શું તમે ઊંચા અવાજે ઘોરા કરો છો? સવારમાં ઉઠતા થાક લાગતો હોય છે? દિવસ દરમિયાન વધારે ઊંઘ આવે છે?

Rupesh Dharmik

વર્કિંગ વુમનમાં હોર્મોનલ સ્વાસ્થ્ય, તણાવ અને લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો અંગે જાગૃતિ માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા મહિલા દિવસ નિમિત્તે વિશેષ વર્કશોપનું આયોજન

Rupesh Dharmik

ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી  દ્વારા ‘ઉભરતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓફ ગુજરાત’ તરીકે સન્માનિત

Rupesh Dharmik

કેન્સર દર્દીઓ માટે વિકસાવવામાં આવેલ આયુર્વેદિક ફોર્મ્યુલા – ડૉ. હરીશ વર્મા

Rupesh Dharmik

Leave a Comment