Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

નવ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ રસીકરણ કેમ્પ યોજી ૧૬૦ નાગરિકોનું વેક્સીનેશન કરાયું

Navya Charitable Trust organizes covid vaccination camp and vaccinates 160 citizens

સુરત: ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન રસી મૂકાવીને ‘રસીકરણ ઉત્સવ’ ઊજવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે, જેના ભાગરૂપે સુરત શહેરના નાગરિકો સ્થાનિક પ્રશાસન અને વિવિધ સેવા સંસ્થાઓ આયોજિત રસીકરણ કેમ્પમાં તબક્કાવાર રસી મૂકાવી આ ઉત્સવમાં સહભાગી બની રહ્યા છે.

શહેરના નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૪ એપ્રિલના રોજ કતારગામમાં કસ્તુરબા વિદ્યાભવન, રામજીનગર સોસાયટી, નાની બહુચરાજી મંદિરની સામે, વેડરોડ ખાતે કોરોના વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો હતો, જેમાં ૪૫ થી વધુ ઉંમર ધરાવતા ૬૦ નાગરિકોને વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવી હતી.

Navya Charitable Trust organizes covid vaccination camp and vaccinates 160 citizens
ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે રવિવારથી કેમ્પ યોજી રસી મૂકવામાં આવે છે. જે મુજબ તા. ૧૧ એપ્રિલના રોજ કતારગામ વિધાનસભા વિસ્તારની પ્રભુનગર સોસાયટીની વાડીમાં આયોજિત વેક્સીનેશન કેમ્પમાં કુલ ૧૦૦ નાગરિકોને રસી મુકવામાં આવી હતી.
રસીકરણ સેન્ટરમાં ટ્રસ્ટના અધ્યક્ષશ્રી પ્રમુખશ્રી ભાવેશભાઈ.ડી. ઝાઝડીયા, ઉપપ્રમુખશ્રી ધીરૂભાઇ.પી.માંડવીયા, મોઘજીભાઈ.આર.ચૌધરી, ધાર્મિકભાઈ.એન.માલવિયા, કિશોરભાઈ.બી.મયાણી સહિતના અગ્રણીઓ સેવા આપી રહ્યા છે.


Related posts

એએસજી આઈ હોસ્પિટલની દિવાળી પહેલ: 15વર્ષથી ઓછી વયના બાળકો માટે ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓ માટે મફત તપાસ અને સર્જરી!

Rupesh Dharmik

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

અંતરરાષ્ટ્રીય આયુર્વેદિક આરોગ્ય સેવા – વડોદરામાં 13 જુલાઈએ યોજાશે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર કેમ્પ

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

પેટના દર્દીઓ માટે વડોદરામાં નિઃશુલ્ક મેગા આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ, 15 જૂનના રોજ આયોજિત થશે

Rupesh Dharmik

Leave a Comment