Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સ્મિમેર હોસ્પિટલમાં નેશનલ મેડિકલ કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર ટુંકાગાળામાં ૪૨૦ બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી

as-per-the-guidelines-of-the-national-medical-council-a-permanent-arrangement-of-420-beds-has-been-set-up-at-smimmer-hospital-in-a-short-period-of-time

ચોથા માળે ૫૦ જેટલા આઈ.સી.યુ.બેડ યુધ્ધના ધોરણે તૈયાર કરાયા

હાઉસીંગ વિભાગના કર્મયોગીઓના ‘વ્યથા નહી વ્યવસ્થા’ના અભિગમ અને દિવસ-રાતની મહેનતના કારણે આ શકય બન્યું છે

સુરતઃ કોરોના કહેર વચ્ચે રાજય સરકાર તથા મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી કોરોના દર્દીઓ માટે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે ઝડપથી ઓકિસજન બેડ, આઈ.સી.યુ., વેન્ટીલેટર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા હસ્તકની સ્મિમેર હોસ્પિટલમાં અઠવાડિયાના ટુંકાગાળામાં નેશનલ મેડિકલ કાઉન્સીલ (NMC)ની ગાઈડલાઈન અનુસાર ૪૨૦ જેટલા બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના હાઉસીંગ વિભાગના ડેપ્યુટી ઈજનેરશ્રીમતિ મેધાવી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિગ ખાતે કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાની સારવાર માટે ૬૪૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નેશનલ મેડીકલ કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર માત્ર અઠવાડિયામાં ગ્રાઉન્ડ ફલોર પર ૧૪૦, પહેલા માળે ૧૪૦, બીજા માળે ૧૪૦ મળી કુલ ૪૨૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સ્મિમેર મેડીકલ કોલેજમાં હાલમાં ૨૦૦ મેડીકલ સીટો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં ૨૫૦ સીટો થાય તો તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર અત્યારથી જ ઉભુ કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. પણ ભવિષ્યમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના વોર્ડ માટે પણ ઉપયોગ કરી શકાશે.

મેધાવી દેસાઈએ વધુમાં કહ્યું કે, ચોથા માળે ૫૦ આઈ.સી.યુ.બેડની વ્યવસ્થા યુધ્ધના ધોરણે હાઉસીગ વિભાગના સ્ટાફ દ્વારા સંસાધનોની મર્યાદા વચ્ચે ‘વ્યથા નહી વ્યવસ્થા’નો અભિગમ અપનાવીને દિવસ-રાતની મહેનતના પરિણામે ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.


Related posts

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

અંતરરાષ્ટ્રીય આયુર્વેદિક આરોગ્ય સેવા – વડોદરામાં 13 જુલાઈએ યોજાશે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર કેમ્પ

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

પેટના દર્દીઓ માટે વડોદરામાં નિઃશુલ્ક મેગા આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ, 15 જૂનના રોજ આયોજિત થશે

Rupesh Dharmik

બેલ ફળ: આયુર્વેદની ભેટ, અલ્સરેટિવ કોલાઈટિસ માટે કુદરતી રાહત

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

Leave a Comment