Republic News India Gujarati
બિઝનેસસુરત

‘૧૦ બિગ મલ્ટી–બેગર આઇડીયાઝ’ વિષય ઉપર વેબિનારનું આયોજન

Organizing a webinar on the topic '10 Big Multi-Beggar Ideas'

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘૧૦ બિગ મલ્ટી–બેગર આઇડીયાઝ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ટર્ટલ વેલ્થના સીઇઓ એન્ડ ફંડ મેનેજર રોહન મહેતા દ્વારા રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રોહન મહેતાએ જણાવ્યું હતું કે, આઇડીયાઝ ઉપર રોકાણ કરવું જોઇએ. જેમાં એક જ સ્થળે રોકાણથી પાંચથી દસ ગણું વળતર આવી શકે છે. વર્ષ ર૦૧૦માં હાઇ વેલ્યુએશન કવોલિટીનો યુગ આવ્યો હતો. તે સમયે સિકલિકલ સ્ટોકથી કવોલિટી સ્ટોકમાં વેલ્યુ માઇગ્રેશન થયું હતું પણ હવે સમય એવો આવ્યો છે કે સિકલિકલથી કવોલિટી સ્ટોકમાં વેલ્યુ માઇગ્રેશન થઇ રહયું છે. હવે સિકલિકલ સ્ટોક ખૂબ જ સસ્તી મળી રહી છે. તેમણે કોમોડિટી ક્રાઇસિસ તથા કોપર અને એલ્યુમિનિયમની સાયકલ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીડીપી એ સર્વિસ, મેન્યુફેકચરીંગ અને એગ્રીકલ્ચર સેકટર ઉપર નિર્ભર હોય છે. અત્યારે આઇટી, ફાયનાન્સિયલ, કેમિકલ અને ફાર્માસ્યુટીકલ વિગેરે મેન્યુફેકચરીંગ સેકટરમાં મોટી તક દેખાઇ રહી છે. તેમણે કહયું કે, રોકાણ કરતા પહેલા હંમેશા ઇકોનોમી ઉપર ફોકસ કરવું જોઇએ. જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ચાલે છે ત્યારે કવોલિટી સ્ટોકમાં સારી તક ઉભી થાય છે અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ નીચે હોય ત્યારે સિકલિકલ સ્ટોકમાં સારી તક ઉભી થાય છે. તેમણે ઇન્વેસ્ટીંગ પ્રોસેસ પર્ફોમન્સ વિશે પણ ચર્ચા કરી હતી.

વધુમાં તેમણે કહયું હતું કે, રોકાણકારોનો પોર્ટફોલિયો ૧પ કંપનીઓથી વધારે નહીં હોવો જોઇએ. તેને કારણે સારું વળતર આવવાની શકયતા ઘટી જાય છે. એના બદલે પાંચ કંપનીઓ ઉપર ફોકસ કરવાની સલાહ તેમણે રોકાણકારોને આપી હતી. વેબિનારમાં વકતાએ રોકાણકારો દ્વારા પુછવામાં આવેલા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારમાં પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ વેબિનારનું સંચાલન કર્યું હતું.


Related posts

જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ  5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન

Rupesh Dharmik

લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરત અલોહા સેન્ટર દ્વારા પોલીસ મેમોરિયલ ડેની ઉજવણી

Rupesh Dharmik

સુરતના વેસુમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રામલીલા મંડપની સ્વસ્તિક પૂજન

Rupesh Dharmik

Leave a Comment