Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

કોરોના સંક્રમિત વ્યક્તિઓની મુશ્કેલીઓ નિવારવા ઓલપાડ ખાતે કોરોના વૉર રૂમ તેમજ કોલ સેન્ટરની શુભારંભ

Launch of Corona War Room as well as Call Center at Olpad to alleviate the plight of Corona infected persons

૩૦ શિક્ષકો ખંતપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે

સુરતઃ સમગ્ર રાજય સહિત કોરોનાના સંક્રમણને ધ્યાને લેતા જિલ્લા વહીવટીતંત્ર જનહિતાર્થે ખડેપગે રહી રાત-દિવસ એક કરી કામગીરી કરી રહ્યું છે. આ માટે ઓલપાડ તાલુકાની પ્રવર્તમાન સમયની ગંભીરતા સમજી સુરત જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઇ કોયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપકભાઇ દરજીના માર્ગદર્શન હેઠળ ઓલપાડ ખાતે તાલુકા પંચાયત ભવનમાં વિશેષ ‘કોવિડ-૧૯’ વૉર રૂમ તથા કોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

વૉર રૂમમાં ઓલપાડ તાલુકાના વિવિધ ગામોની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. સવારે ૭:૩૦ થી ૧:૩૦ અને બપોરે ૧:૩૦ થી ૭:૩૦ એમ બે પાળીમાં કુલ ૩૦ જેટલા શિક્ષક ભાઈ-બહેનો ખંતપૂર્વક કામ કરે છે. તેમને વખતોવખત તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ ચાવડા તથા નાયબ કાર્યપાલક ઈજનેર શ્રીમતી રીનાબેન પટેલનું માર્ગદર્શન મળતુ રહે છે.

વૉર રૂમ અંગેની વિશેષ માહિતી આપતાં ઓલપાડ તાલુકા બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર અને ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, વોર રૂમમાં સેવા બજાવતા શિક્ષક ભાઈ-બહેનો દર્દીને ખૂબજ પ્રેમપૂર્વક અને હમદર્દીભર્યા ભાવે તેમના તબિયત સંબંધિત તાવ, શરદી, ખાંસી, દવા, આહાર, રીકવરી વિષયક પ્રશ્નો પૂછે છે અને તેમને જરૂરી માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત દર્દીને કોઈપણ જાતની તકલીફ હોય તો તેમના કેરટેકરને હેલ્પલાઈન નંબર (૦૨૬૧) ૨૨૨૫૦૧ થી ૫૦૫ ડાયલ કરી સચોટ માર્ગદર્શન મેળવવા સૂચિત કરવામાં આવે છે. નિયત ફોર્મ આધારિત કોરોના સંબંધિત દરેક પ્રકારની દર્દી કે તેમના કેરટેકર સાથે ચર્ચા કરી દરેકનો વ્યક્તિગત ઓનલાઈન રિપોર્ટ જિલ્લા પંચાયત સહિતની કચેરીઓને રોજેરોજ મોકલવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ વૉર રૂમ કોરોનાના દર્દીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવ્યું હતું.


Related posts

ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર

Rupesh Dharmik

Best Orthopedic Doctor in Dindoli – Dr. Abhishek Yadav ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિશ્વાસનું નામ

Rupesh Dharmik

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.

Rupesh Dharmik

વોક્હાર્ટ હોસ્પિટલ્સ દ્વારા નર્સિંગ સ્ટાફના યોગદાનને સપ્તાહભર ઉજવણી સાથે અપાયું સન્માન

Rupesh Dharmik

વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ

Rupesh Dharmik

Leave a Comment