મુંબઈ: પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાની 45મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી દેસાઈ સઈ-સુતાર જ્ઞાતિ મંડળ મુંબઈ દ્વારા 22 જાન્યુઆરી 2022ના રોજ કાંદિવલી (પૂર્વ) સ્થિત દેસાઈ દરજી વાડી ખાતે ભક્તિ ગીતો અને ભજનોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જ્યાં સંસ્થા દ્વારા સામાજિક કાર્યકર્તા કિરીટભાઈ અમૃતલાલ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં તેમના યોગદાન બદલ અને મુંબઈ તરંગ ગુજરાતી આવૃત્તિના તંત્રી પદ પર નિયુક્ત થવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિલાલ કેશવલાલ મિસ્ત્રી,ઉપપ્રમુખ છોટુભાઈ કાળાભાઈ ગોહિલ,ટ્રસ્ટી શ્રી બચુભાઈ નાનજીભાઈ સરવૈયા,મહામંત્રી સુનિલભાઈ એમ ગોહિલ,સહમંત્રી શ્રી રોહિતભાઈ પરસોતમદાસ રાઠોડ,દિલીપભાઈ પટેલ વગેરેએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભક્તિમાં તલ્લીન બની ગયા અને પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાને હૃદયથી યાદ કર્યું.