Republic News India Gujarati
કૃષિદક્ષિણ ગુજરાત

ઓલપાડ ખાતે ‘‘ડાંગરની વૈજ્ઞાનિક ખેતી અને પાંક સંરક્ષણ’’ અંગે ખેડુત તાલીમ શિબિર યોજાઈ

Farmer Training Camp held at Olpad

ડાંગરનું ધરૂવાડિયુ તૈયાર કરવાનો હાલમાં શ્રેષ્ઠ સમય છેઃ કૃષિ વૈજ્ઞાનિક સુનિલ ત્રિવેદી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ખરીફ ઋતુમાં મુખ્ય પાક એવા ડાંગરની ખૂબ મોટાપાય ખેતી થાય છે. ફેરરોપણી આધારિત ડાંગરની ખેતીમાં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો અગ્રેસર છે. ડાંગરની ખેતીમાં મુખ્ય ઘટક એવા ડાંગરનું ધરૂવાડિયુ તૈયાર કરવાનો હાલમાં ખુબજ યોગ્ય સમય છ. ડાંગરનું ધરૂ તૈયાર થયા પછી સમયસરની ફેરરોપણી જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં થતી હોય છે ડાંગરની નફાકારક ખેતી માટે સમયસર કરવાના થતા ખેતી કાર્યો અને પાક સંરક્ષણના પગલાઓ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.

નવસારી કૃષિ યુનિ.સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના બરબોધન ગામે ખેડુતોને માહિતગાર કરવા માટે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને ડાંગરમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વિષય ઉપર ખેડુત તાલીમ શિબિર યોજાઈ હતી. આ વેળાએ મુખ્ય અતિથિ તરીકે બરબોધન ગામના વતની અને માજી ધારાસભ્યશ્રી ધનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ વેળાએ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકસિંહ રાઠોડે કૃષિ વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓની તથા કૃષિ યુનિ.ના ઉત્પાદિત બાયોફર્ટીલાઈઝર્સ, નોવેલના ઉપયોગની વિગતો આપી હતી. વૈજ્ઞાનિક શ્રી સુનિલ ત્રિવેદીએ ડાંગરના ધરૂવાડિયું તૈયાર કરવા, ડાંગરની જાતો, ખાતર, નિદામણ અંગેની તથા રાકેશભાઈ પટેલ જીવાત નિયંત્રણની વિગતો આપી હતી. કૃષિ વિજ્ઞાન કન્દ્ર સુરત ખાતે જિલ્લા કૃષિ હવામાન એકમ કાર્યરત છે. જે અંતર્ગત પ્રોફેસર અભિનવ પટેલ હવામાનની આગોતરી જાણકારી મેળવવી અને તેની ખેતીપાકોમાં લેવામાં પગલાઓથી ખેડુતોને માહિતગાર કર્યા હતા. આ વેળાએ બરબોધન તથા આસપાસના ખેડુતોએ બહોળી સંખ્યામાં તાલીમ શિબરનો લાભ લીધો હતો.


Related posts

હિંદુ મોચી સમાજની ૨૭ વર્ષીય પલક તેજસ ચાંપાનેરીના પરિવારે પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી

Rupesh Dharmik

મેડ ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ યશ ઝવેરીલાલ વર્માના પરિવારે તેના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

Rupesh Dharmik

ચેમ્બર દ્વારા એગ્રો ટુરીઝમ ડેવલપમેન્ટની દિશામાં પ્રયાસ, પહેલા પગથિયાના ભાગરૂપે ઓર્ગેનિક ફાર્મની વિઝીટ કરાઇ

Rupesh Dharmik

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને ૧૦ વીઘા જમીનમાં ૩૫૦ મણ કેરીનું માતબર ઉત્પાદન મેળવતા શિક્ષક ભરતભાઈ પટેલ

Rupesh Dharmik

રૂ.૨૦ કરોડના ખર્ચે બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાં રસ્તાઓ કામોનું ખાતમુહુર્ત કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

Rupesh Dharmik

‘રોગચાળાના ભય વચ્ચે નવો વ્યવસાય વિકસાવવા તેમજ વર્તમાન વ્યાપારને વધારવા માટેના પ અગત્યના અભિગમો’ વિષય ઉપર વેબિનારનું આયોજન

Rupesh Dharmik

Leave a Comment