Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા આરોગ્ય વિભાગની અપીલ


તા.૩૧ જાન્યુ. થી ૨ ફેબ્રુ.ના ત્રણ દિવસો દરમિયાન
સુરત જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૨,૨૪,૩૧૩ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે

સુરતઃ સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આવતીકાલ તા.૩૧ જાન્યુ. થી ૨ ફેબ્રુ. દરમિયાન સમગ્ર જિલ્લામાં એન.આઈ.ડી.માં ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના ડો.ધવલ પટેલનાં અધ્યક્ષસ્થાને તસ્ક ફોર્સ મીટીંગ યોજાઈ હતી.

જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા દર વર્ષે એન.આઈ.ડી કાર્યક્રમ અંતર્ગત ૦ થી પ વર્ષનાં બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લાના ૭૪૧ ગામોના ૧૨૯૨ પોલીયો બુથ પરથી ૦ થી ૫ વર્ષના કુલ ૨,૨૪,૩૧૩ બાળકોને પોલીયોનાં ટીપા પીવડાવવામાં આવશે .

પોલીયો કામગીરીની માહિતી આપતા તેમણે વધુમાં કહ્યું કે, તા.૩૧ જાન્યુ.એ પોલીયો બુથ ઉપર પોલીયોનાં ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવશે તેમજ તા.૧ અને તા.૨ ફેબ્રુઆરીના રોજ આરોગ્ય કર્મચારી, આશા વર્કરો,આંગણવાડી કાર્યકરો અને સ્વયં સેવકો દ્વારા ઘરે-ઘરે જઈને ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે.

કોઈ પણ બાળક પોલીયોથી વંચિત ન રહે તે માટે સમગ્ર જિલ્લામાં પોલીયોની કામગીરીમાં કુલ ૧૨૯૨ પોલીયોના બુથ ઉપર ૫૫૨ આરોગ્ય કર્મચારીઓ, ૧૪૨૮ આશા બહેનો, ૧૧૮ આશા ફેસેલીટેટર બહેનો, ૧૧૫ આંગણવાડી કાર્યકર બહેનો, ૧૮૬૫ સ્વયંસેવકો મળીને કુલ ૫૧૧૧ કર્મચારીઓ અને ૨૫૮ સુપરવાઈઝરો જોડાશે. જેમના માટે ૨૫૮ વાહનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તેની સાથે જ શહેરના અને ગ્રામ્યના નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવાની અપીલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.


Related posts

અનિયમિત પિરિયડ્સ અને ચહેરા પર અનિચ્છનીય વાળ: આયુર્વેદથી મેળવો કુદરતી ઉપચાર

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શું તમે ઊંચા અવાજે ઘોરા કરો છો? સવારમાં ઉઠતા થાક લાગતો હોય છે? દિવસ દરમિયાન વધારે ઊંઘ આવે છે?

Rupesh Dharmik

વર્કિંગ વુમનમાં હોર્મોનલ સ્વાસ્થ્ય, તણાવ અને લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો અંગે જાગૃતિ માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા મહિલા દિવસ નિમિત્તે વિશેષ વર્કશોપનું આયોજન

Rupesh Dharmik

ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી  દ્વારા ‘ઉભરતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓફ ગુજરાત’ તરીકે સન્માનિત

Rupesh Dharmik

કેન્સર દર્દીઓ માટે વિકસાવવામાં આવેલ આયુર્વેદિક ફોર્મ્યુલા – ડૉ. હરીશ વર્મા

Rupesh Dharmik

Leave a Comment