Republic News India Gujarati
ગુજરાતટ્રાવેલ

ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવા ટુર અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા 6 સભ્યો 36 દિવસમાં ભારત ભ્રમણ કરશે


કોરોના કાળમાં જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શક્ય નથી ત્યારે વોકલ ફોર લોકલના સંદેશ સાથે સુરતના ચાર અને મુંબઈ-અમદાવાદના એક-એક સભ્ય 18મી સપ્ટેમ્બરે સુરતથી રોડ ટ્રીપનો આરંભ કરી 36 દિવસમાં 18000 કિલોમીટરનું અંતર કાપી ભારતના પ્રવાસ સ્થળો વિશે આકર્ષિત કરશે

સુરત : ગુજરાત અને ખાસ કરીને સુરતીઓ હરવા ફરવાના ખુબજ શોખીન છે, પરંતુ કોરોનાએ સુરતીઓની ભ્રમણ વૃત્તિ પર બ્રેક લગાવી દીધી છે. સુરત અને ગુજરાતની પ્રજા વિદેશી પ્રવાસન સ્થળોનો પ્રવાસ ખેડવામાં પણ અવ્વલ છે પરંતુ કોરોનાના કારણે હાલ વિદેશ પ્રવાસ ખેડવો શક્ય નથી ત્યારે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવા માટે તેઓ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત, મુંબઈ અને અમદાવાદના 6 સભ્યો મળીને 18મી સપ્ટેમ્બર થી ભારત ભ્રમણ પર નીકળી રહ્યા છે. 18000 કિમીની આ રોડ ટ્રીપ તેઓ 36 દિવસમાં પૂર્ણ કરશે.

પીપલોદ સ્થિત સ્પાઇસ વિલા રેસ્ટોરેન્ટ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફેરેન્સમાં આ સંદર્ભે માહિતી આપતા સુરતની નેટવર્ક ટુર્સ એન્ડ ટ્રાવેલ એજન્સીના સંચાલક રાજીવ શાહએ(૫૬) જણાવ્યું હતું કે કોરોનાની વિપરીત અસરથી કોઈ પણ ક્ષેત્ર બચી શક્યું નથી, ત્યારે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્ર પણ મોટી અસર થઈ છે. હવે જ્યારે તબક્કા વાર અનલૉક આગળ વધી રહ્યું છે અને બધુજ ધબકતું થયું છે ત્યારે પ્રવાસનને પણ વેગ મળે તે જરૂરી છે. હાલના સંજોગોમાં વિદેશ પ્રવાસ જ્યારે શક્ય નથી, ત્યારે સુરત અને ગુજરાતની લોકોને વોકલ ફોર લોકલના સંદેશ સાથે ડોમેસ્ટિક ટુરિઝમ તરફ આકર્ષિત કરવા માટે તેઓ દ્વારા 36 દિવસની અને 18000 કિમીની રોડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ ટ્રીપમાં રાજીવ શાહ સાથે સુરતથી રિતેશ પારેખ (૪૫), સંજય પટેલ (૪૫) અને નીતિન ગુપ્તા (૩૭) તેમજ મુંબઈ થી પવન દુબે (૩૮) અને અમદાવાદથી થોમસ કોશી (૪૮) જોડાશે.

વધુમાં માહિતી આપતા રાજીવ શાહે જણાવ્યું હતું કે 18મી સપ્ટેમ્બરના રોજ થી રોડ ટ્રીપની શરૂઆત થશે અને 18000 કીમીનું અંતર કાપી 36 દિવસ બાદ સુરત ખાતે પૂર્ણ થશે. આ દરમિયાન ભારતના ચારેય ખુનાઓની મુલાકાત સાથે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા પ્રવાસન સ્થળોની મુલાકાત કરશે. ત્યાંના ટૂર ઓપરેટર, એજન્ટની મુલાકાત લેશે, કોવિડ વચ્ચે પણ હોટેલ્સ અને પ્રવાસન સ્થળો આગંતુકોને આવકાર તૈયાર છે એની ખાત્રી સાથે સાથે પરત ફરશે, જેથી લોકો ડોમેસ્ટિક ટુરિઝમને પ્રાધાન્ય આપતા થાય.


Related posts

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Rupesh Dharmik

Leave a Comment